રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:25:06

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી પસાર થઈ આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. ત્યારે હાલ આ યાત્રા કર્ણાટક પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વખત ભાજપે યાત્રા પર પ્રહાર તેમજ કટાક્ષ કર્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુદ્દાની વાત એ છે કે રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલુ દેખાતા રાજકારણ ગરમાયું છે. યાત્રા કર્ણાટક પહોંચે તે પહેલા રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોંગ્રેસને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપ ઘબરાઈ ગયું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે