રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ગુજરાતના કોંગી નેતાઓ પાસે પૈસાની માંગણી


  • Published By :
  • Published Date : 2022-11-04 15:00:53

                  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી એકવાર સાયબર ઠગો સક્રિય થયા છે અને નેતાઓના નામે રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું છે. આવુજ કંઈક થયું છે વડોદરાના નેતા સાથે વડોદરામાં કોંગ્રેસના નેતાને રાહુલ ગાંધીના PAના નામ પર ફોન આવ્યો અને તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોલ આવ્યો કે તમારે વિધાનસભા ટિકિટ જોઈતી હોય તો તમારે પૈસા આપવા પડશે કહીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો 


કોંગ્રેસના બે નેતાઓ સાથે આવું થયું 

માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ નહિ અગાઉ સત્યજિત ગાયકવાડને પણ ફેક ફોન આવ્યો હતો.રાહુલ ગાંધીના PA કનિષ્ક સિંહના નામે ઠગે પૈસાની માંગણી કરી હતી.નાણાંની માંગણી કરતો કોલ આવતા બન્નેએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે 


બન્ને કોંગ્રેસના દાવેદારો 

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યા છે વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાના નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસના અલગ અલગ બેઠકના દાવેદારો છે.ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસના વોર્ડ ન.16ના કાઉન્સિલર અને પૂર્વી વિપક્ષી નેતા છે 


પોલીસ ફરિયાદ નોંધાઈ 

ફરિયાદમાં જણાવ્યું છે કે રાવપુર બેઠકથી ટિકિટ આપવા ગઠિયાએ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને કોલ કર્યો હતો.પ્રિયંકા ગાંધીના નંબર પર બાયોડેટા મોકલવા કહ્યું.ગઠિયાએ આપેલો નંબર ખોટો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બન્નેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.