આજે સંપન્ન થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અનેક રાજકીય પક્ષોને આપવામાં આવ્યું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-01-30 10:37:14

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે સમાપ્ત થઈ ચૂકી છે. રવિવારે શ્રીનગર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારત જોડો યાત્રાનું સમાપન થવાનું છે. 12 રાજ્યોમાંથી તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ છે. ભારત જોડો યાત્રાનું સમાપન શ્રીનગર ખાતે થશે. આ યાત્રામાં 21 પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી અનુસાર યાત્રાના સમાપનમાં 12 વિપક્ષી નેતાઓ હાજર રહેશે.


21 પાર્ટીને આપવામાં આવ્યું હતું આમંત્રણ

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. અનેક રાજ્યોમાંથી પસાર થઈ આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં અનેક નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં અનેક પાર્ટીનો સમાવેશ થાય છે. 


આ પક્ષ થઈ શકે છે યાત્રામાં સામેલ 

મળતી માહિતી અનુસાર ડીએમકે, શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આરજેડી. જનતાદળ યુનાઈટેડ, શિવસેના, સીપીઆઈ, કેરળ કોંગ્રેસ , ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સહિતની પાર્ટી આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ધ્વજવંદન કાર્યક્રમ શ્રીનગર ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલય ખાતે સમપન્ન થશે. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાહુલ ગાંધી એક રેલીનું નેતૃત્વ કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.