7 માર્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra પહોંચશે Gujarat, જાણો શું રહેશે યાત્રાનો સંપૂર્ણ રૂટ?


  • Published By :
  • Published Date : 2024-03-04 17:20:24

થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. તે બાદ લોકસભા ચૂંટણી પહેલા મણિપુરથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે.આ યાત્રાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને આ યાત્રા ગુજરાતમાં પણ ફરવાની છે. 7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આ યાત્રાને લઈ પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ શું રહેશે તે અંગેની જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. યાત્રા ક્યાંથી ક્યાં જશે. ક્યાં રાત્રિ રોકાણ કરાશે, ક્યાં સભાનું આયોજન થશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.


ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી

7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રાને મહત્વની માનવામાં આવી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા નીકળી છે અને અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. એક તરફ ગુજરાતમાં આ યાત્રા આવવાની છે તો બીજી તરફ કોંગ્રેસના ગઠબંધનમાં ફૂટ આવી રહી છે. એકબાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ યાત્રા અંગેની માહિતી આપવામાં આવી હતી. 



કેવો હશે યાત્રાનો રૂટ? 

રૂટની વાત કરીએ તો સાતમી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. બપોરે ત્રણ વાગ્યે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં રાજસ્થાનના બાંસવાડાથી પ્રવેશ કરવાની છે. ઝાલોદમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે સાડાત્રણ વાગ્યે છે. ન્યાયયાત્રા ઝાલોદથી નીકળી લીંબડી ખાતે પહોંચશે. લીંમડી ખાતે રાહુલ ગાંધી રાત્રિરોકાણ કરશે. આઠ માર્ચે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા પહોંચશે. અલગ અલગ જગ્યાઓ પર આ યાત્રાનું સ્વાગત કરવા માટે કાર્યકરતાઓ તેમજ નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે આ યાત્રા દરમિયાન અલગ અલગ મંદિરોમાં દર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.       



10 તારીખે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચશે મહારાષ્ટ્ર!

9 માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા બોડેલીથી નસવાડી પહોંચશે અને ત્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નસવાડીથી રાજપીપળા પહોંચશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્શે. તે બાદ નેત્રંગ પહોંચશે અને ત્યાં અઢી કલાક કોર્નર બેઠક ચાલશે. માંડવી ખાતે 10 તારીખે સવારે  યાત્રાનું આગમન થશે અને રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલી ખાતે પણ સ્વાગત કાર્યક્રમનું તેમજ કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે. વ્યારા ખાતે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે.આ યાત્રા 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. મહત્વનું છે કે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.    



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.