ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું જોવા મળ્યું આક્રામક રૂપ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:09:06

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક રૂપમાં જોવા મળ્યા. અનેક વખત કેન્દ્ર સરકારની નીતિઓના વિરૂદ્ધ પણ તેઓ બોલ્યા છે  જ ત્યારે ફરી એક વખત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર નહીં પરંતુ મની ટ્રાન્સફર સ્કીમ ચલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પર કર્યા શાબ્દિક  પ્રહાર

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા નિશાન સાધવામાં આવે છે તો ક્યારેક રાહુલ ગાંધી ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધે છે. ત્યારે વધતી મોંઘવારી, જીએસટી સહિતની અનેક સરકારની નીતિઓ પર તેમજ ઉદ્યોગપતિઓને લઈ પીએમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.