Parliamentમાં જોવા મળ્યો Rahul Gandhiનો આક્રામક અંદાજ, Manipur વિશે રાહુલ ગાંધીએ કહી આ વાત, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 13:39:23

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હાલ ચર્ચા ચાલી છે. રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. મણિપુર મુદ્દે રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. આજે ગભરાવવાની જરૂર નથી. આજે હું અદાણી મુદ્દે નહીં બોલી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત એક અવાજ છે. આ અવાજને સાભળવા માગતા હોઈએ તો આપણે અહંકારને દૂર કરવો પડશે. કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે એમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલિફ કેમ્પમાં ગયો. વધુમાં તેમણે કહ્યું કે ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.


મણિપુર દેશનો જ અંગ છે - સ્મૃતિ ઈરાની 

રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પણ એકદમ આક્રામક દેખાયા હતા. રાહુલ ગાંધી જે મુદ્દે બોલ્યા હતા તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે.       


કલમ 370 વિશે સ્મૃતિ ઈરાનીએ કરી વાત 

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોની વાત કરી હતી.  તેમણે કહ્યું કે કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ 370 હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. 1984ના શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મણિપુર વિશે અમિત શાહે ચર્ચા માટે કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહે અનેક વખત મણિપુરમાં હિંસા અંગે ચર્ચા કરવા માટે કહ્યું. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી જાય છે.   



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.