કોરોના કેસ વધતા ભારત જોડો યાત્રાને રોકવા અંગે મળેલા પત્રનો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:48:21

ભારતમાં કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત જોડો યાત્રાને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે બહાના કાઢવામાં આવી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે તે માટે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો જેવા બહાના બતાવામાં આવે છે પરંતુ ભારતની સચ્ચાઈથી ડરી ગઈ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે તૂટવાના નથી. હાલ ભારત જોડો યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. 

  

રાહુલ ગાંધીએ આપ્યો પત્રનો જવાબ

કોરોના મહામારીને કારણે ફરી એક વિશ્વના દેશોમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ કોરોના સંક્રમણને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા પત્ર લખ્યો હતો. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે મને ભારત જોડો યાત્રાને બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો. યાત્રાને રોકવા બહાના બનાવામાં આવ્યા હતા. બહાના બનાવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા યાત્રા બંધ કરવાના બહાના છે. હકીકત તો એ છે કે ભારતની વાસ્તવિકતાથી ડરી રહી છે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.