કોરોના કેસ વધતા ભારત જોડો યાત્રાને રોકવા અંગે મળેલા પત્રનો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:48:21

ભારતમાં કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત જોડો યાત્રાને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે બહાના કાઢવામાં આવી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે તે માટે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો જેવા બહાના બતાવામાં આવે છે પરંતુ ભારતની સચ્ચાઈથી ડરી ગઈ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે તૂટવાના નથી. હાલ ભારત જોડો યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. 

  

રાહુલ ગાંધીએ આપ્યો પત્રનો જવાબ

કોરોના મહામારીને કારણે ફરી એક વિશ્વના દેશોમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ કોરોના સંક્રમણને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા પત્ર લખ્યો હતો. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે મને ભારત જોડો યાત્રાને બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો. યાત્રાને રોકવા બહાના બનાવામાં આવ્યા હતા. બહાના બનાવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા યાત્રા બંધ કરવાના બહાના છે. હકીકત તો એ છે કે ભારતની વાસ્તવિકતાથી ડરી રહી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.