કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું 'કર્ણાટકમાં નફરતની બજાર બંધ અને મોહબ્બતની દુકાન ખુલી'


  • Published By :
  • Published Date : 2023-05-13 16:43:34

કર્ણાટકમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીત હાંસલ કરતી દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત બાદ અનેક દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જીત બાદ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે તે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સૌથી પહેલા કર્ણાટકની જનતાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા છે અને તે પહેલી જ કેબિનેટ મીટિંગમાં પૂરા કરાશે.

    

પાંચ વચનો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ થશે!

કોંગ્રેસની જીત કર્ણાટકમાં થઈ છે. 130થી વધુ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીત બાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ જીત બાદ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી પ્રેમથી લડી હતી અને ભાજપની નફરતની બજાર બંધ કરી દીધી છે. મહોબ્બતની દુકાન ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકના જનતાની જીત છે. ચૂંટણી વખતે જે પાંચ વચનો આપ્યા હતા તે વચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.      


દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રચાર!

મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અનેક રેલીઓ, રોડ શો તેમજ જનસભાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની જીત બાદ નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.