Hindenburg Reportને લઈ Rahul Gandhiએ આપી પ્રતિક્રિયા, ઉઠાવ્યા અનેક સવાલ, પીએમ પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-08-12 14:03:15

શનિવારે હિંડનબર્ગ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. તે બાદ અનેક તર્ક ઉભા થયા હતા, સવાલો ઉભા થયા હતા કે હવે કોનો વારો. હિંડનબર્ગના નવા રિપોર્ટે તો હાહાકાર મચાવી દીધો છે જેમાં સેબીના ચેરપર્સન માધાવી પુરી બુચ અને તેમના પતિ પર મોટા આરોપો લગાવ્યા છે. હવે આ મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અને પ્રશ્નો કર્યા છે.  

રાહુલ ગાંધીએ હિંડનબર્ગને લઈ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ માધવી પુરીના રાજીનામાની માંગ કરી છે . રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે 'દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્ત્વના પ્રશ્નો છે. પહેલું- સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? બીજું- જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે તો તેના માટે કોણ જવાબદાર હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી? ત્રીજું - જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે?


વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે...

વીડિયોમાં રાહુલ ગાંધીએ સમજાવતા કહ્યું  કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને મેચ જોનાર અને મેચ રમનાર દરેક વ્યક્તિ જાણે છે કે અમ્પાયરો ન્યાયી નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. 


વડાપ્રધાન પર સાધ્યું રાહુલ ગાંધીએ નિશાન! 

વધુમાં તેમણે કહ્યું કે તેઓ તેમની મહેનતની, પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે, તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે કારણ કે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.‘હવે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી કેમ આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.’



શેરમાર્કેટ પર હજી કોઈ અસર નથી દેખાઈ રહી 

જોકે સેબીના અધ્યક્ષે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તો રાહુલ ગાંધીના સવાલના જવાબ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું.. મહત્વનું છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ શેર માર્કેટમાં કડાકો આવશે તેવું લાગતું હતું પરંતુ આ રિપોર્ટની કોઈ અસર શેરમાર્કેટ પર હજી સુધી પડી હોય તેવું લાગી રહ્યું નથી. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.