રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યો આરોપ, મિત્ર અદાણીને બચાવી રહ્યા છે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2023-02-08 19:11:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ દરમિયાન PM મોદીએ અદાણીને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કંઈ કહ્યું ન હતું. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદી પર અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે PM મોદીએ અદાણી મુદ્દે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમની વાણીમાં સત્ય દેખાય છે. જો (અદાણી) મિત્ર ન હોત, તો તેમણે કહેવું જોઈતું હતું કે તે તપાસ કરાવશે. 


રાહુલે PM મોદીને નિશાન બનાવ્યા 


લોકસભામાં વડાપ્રધાનના ભાષણ બાદ ગૃહની બહાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંતુષ્ટ નથી. પીએમના સંબોધનમાં અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના સંબોધનમાં સત્ય દેખાય છે. તેમણે એક પણ જવાબ આપ્યો નહીં. તપાસ કરાવવાની વાત કરી નથી. જો તે મિત્ર ન હોત તો તેમણે ચોક્ક્સ કહ્યું હોત કે ઠીક છે હું તપાસ કરાવી લઈશ, પરંતુ તેમણે એવું કંઈ કહ્યું નહીં.


PM મિત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની (અદાણીની) શેલ કંપની, ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં બેનામી પૈસા ફરી રહ્યા છે. તેના પર વડાપ્રધાન કંઈ બોલ્યા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન તેમની રક્ષા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે, વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરાવશે, આ એક મોટું કૌભાંડ છે. તે ચોક્કસપણે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું સમજું છું કે તે આવું શા માટે કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.