રાહુલ ગાંધીએ જાણી ખેડૂતોના મનની વાત! વહેલી સવારે પહોંચ્યા ખેતર અને કરી વાવણી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-08 15:18:11

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાવાનો જાણે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા તે મિકેનિકના ગેરેજમાં પહોંચ્યા હતા. હાથમાં સ્ક્રુડાઈવર ઉપાડ્યું અને બાઈકને જાતે રિપેર કરવા લાગ્યા. ત્યારે આજે રાહુલ ગાંધી હરિયાણાના સોનિપતમાં આવેલા એક ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયેલા રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું, ખેતરમાં જઈ તેઓ કામ કરતા દેખાયા હતા.


લોકોને પડતી મુશ્કેલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે રાહુલ ગાંધી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ સતત ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીની ઈમેજ સુધારવા જાણે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વાત પણ સાચી છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ઈમેજમાં ઘણો સુધારો આવ્યો છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમણે આ યાત્રા લોકોનું દર્દ જાણવા માટે કરી છે, લોકો સાથે સીધી જોડાઈ શકાય, તેમને પડતી મુશ્કેલી સમજવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે યાત્રા કરી હતી. ભારત જોડો યાત્રા તો પતી ગઈ પરંતુ સામાન્ય વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી હજી પણ કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.