હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને રાહુલ ગાંધીએ એલન મસ્કને કરી મોટી અપીલ


  • Published By :
  • Published Date : 2022-10-29 13:53:37

એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. માલિક બન્યા બાદ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાહુલે શુભકામના પાઠવતા એક આશા વ્યક્ત કરી છે. ટ્વિટ કરી રાહુલએ કહ્યું કે  એલન મસ્કને અભિનંદન. હું આશા રાખું છું કે ટ્વિટર હવે હેટ સ્પીટ વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને ભારત સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO સોશિયલ મીડિયા મંચના નવા માલિક બની ગયા છે.


શા માટે રાહુલે વ્યક્ત કરવી આશા???

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે અનેક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.  આ વાત રાહુલે એટલા માટે કરી છે કારણ કે ગત વર્ષે દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં તેના પરિવારના સભ્યોના ફોટા શેર કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન બતાવી થોડા દિવસ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટ્વિટર અકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓના અકાઉન્ટ પણ ટ્વિટરે લોક કરી દીધા હતા.  



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .