રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહાર, "TV પર બેકારી, ગરીબી, મોંઘવારી અને અગ્નિવીરો જોવા નહીં મળે"


  • Published By :
  • Published Date : 2024-02-16 19:59:16

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ નેશનલ ઈન્ટર કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રામ મંદિર અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, ગરીબો માટે કોઈ સુવિધા નહોતી.


બે હિંદુસ્તાન બની રહ્યા છે


બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક છે એક ટકાવાળું જેમાં તેઓ ખાનગી વિમાનમાં ઉડે છે. તે ભારત તમે ટીવી પર જોશો. એક તરફ ઐશ્વર્યા રાય તેમાં ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. વિરાટ કોહલી જોવા મળશે, ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળશે. બેરોજગાર, ગરીબ, ભૂખ્યા અને કોઈ અગ્નિવીર ત્યાં જોવા નહીં મળે.


બેરોજગારી અને ગરીબી TV પર જોવા નહીં મળે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે યુપીના ચંદૌલી જિલ્લામાં પહોંચી હતી. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીએ જિલ્લાના સૈયદરાજા સ્થિત નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન શરૂઆતથી જ ખેડૂતો, બેરોજગારો અને ગરીબોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જનતાને કહ્યું કે મીડિયા આ બધા મુદ્દા નથી બતાવતું કારણ કે તે મોદી મીડિયા છે. તેમણે કહ્યું કે ભાજપ અબજોપતિઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, ગરીબ લોકોની જમીન છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, જે ટીવીમાં જનતાને નહીં બતાવવામાં આવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે