સાંસદ સભ્ય રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું...


  • Published By :
  • Published Date : 2023-03-25 15:44:59

મોદી અટકને લઈ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ્દ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં અનેક વખત કહ્યું છે કે ભારતના લોકતંત્ર પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ગમે તે થાય હું પ્રશ્નો પૂછવાના બંધ નહીં કરુ. તે સિવાય અદાણી મુદ્દે પણ રાહુલ ગાંધી બોલ્યા હતા. 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી વાત 

હિંદુસ્તાનનું લોકતંત્ર ખતરામાં છે એ વાક્ય સાથે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. એ પછી રાહુલ ગાંધીને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતની મદદ લીધી છે પરંતુ એવું કશું પણ નથી. સ્પીકરને અનેક વખત પત્રો લખ્યા છે. પરંતુ કોઈ જવાબ મળ્યા નથી. પરંતુ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું પ્રશ્નો પૂછતો રહીશ.


સંસદમાં અનેક વખત પુરાવા પણ રજૂ કર્યા - રાહુલ ગાંધી

તે સિવાય તેમણે કહ્યું હતું કે મેં સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું હતું તે રુપિયા કોના હતા. મેં અનેક વખત સંસદમાં કહ્યુ હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. વધુમાં તેમણે કહ્યું કે સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મળેલા પૂરાવા પણ રજૂ કર્યા હતા. પીએમ મોદી અને અદાણીના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંબંધો નવા નથી જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સંબંધો છે. મેં તેમના વિમાનમાં પ્રવાસનો ફોટો પણ બતાવ્યો હતો. પોતાના મિત્ર સાથે નરેન્દ્ર મોદી આરામથી બેઠા હોય તેવો ફોટો મેં સંસદમાં પણ બતાવ્યો છે.


હું લોકતંત્ર માટે લડતો રહીશ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા પર મારૂં કોઈ પણ ભાષણ જૂઓ, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત ન હોવી જોઈએ. ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે. ક્યારેક ઓબીસીની વાત કરશે તો ક્યારેક વિદેશની વાત કરશે. ઉપરાંત તેમણેએ પણ કહ્યું કે મને ફર્ક નથી પડતો કે હું સંસદની અંદર છું કે બહાર છું. મારે મારી તપસ્ચા કરવાની છે, એ હું કરીને બતાવીશ. તેમણે કહ્યું કે હું હિન્દુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. જો આ લોકો વિચારે છે કે મને અયોગ્ય સાબિત કરી. મને ધમકાવી, જેલમાં નાખી મારું મોહ બંધ કરશે તોએ મારી હિસ્ટ્રી નથી. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લજી રહ્યો છું અને લડતો રહીશ. હું કોઈપણ વસ્તુથી ડરતો નથી.

    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!