રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 20:40:46

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે તા. 25 એપ્રીલના મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની કેદના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો હતો. મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતા ચુકાદા સામે હાઈકોર્ટના ખખડાવતા હવે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. 


બે વર્ષની સજા સામે અપીલ


ગત 23 માર્ચે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જો કે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપ્યા હતા. જામીન આપતા સમયે તેમની સજા પર 30 દિવસનો સ્ટે લાદવામાં આવ્યો હતો. અધિનિયમનો, જેથી કોંગ્રેસના નેતા કોર્ટના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે.


રાહુલ ગાંધી સંબંધિત આ મામલો શું છે?


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરતમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલને 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સાંસદ તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.