માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો! રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે આપવાની અરજીને કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2023-04-20 11:54:31

રાહુલ ગાંધીએ 2019માં મોદી સરનેમને લઈ નિવદેન આપ્યું હતું. આ મામલે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને રદ્દ કરવામાં આવે તે માટે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે સુરતની સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી છે જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે. ત્યારે આ મામલે રાહુલ ગાંધી હાઈકોર્ટ જઈ શકે છે.

    

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને કર્યા હતા દોષિત જાહેર 

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જેમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. 


સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી!   

રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે સુરત સેશન્સ કોર્ટે આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને કારણે તેમને મળેલી બે વર્ષની સજા યથાવત રહી છે. સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને હાઈકોર્ટમાં રાહુલ ગાંધી પડકારી શકે છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.