રાહુલ ગાંધી: કોંગ્રેસના નેતાએ સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું, લંગરમાં ભોજન પીરસ્યા બાદ વાસણો ધોયા, જુઓ VEDIO


  • Published By :
  • Published Date : 2023-10-02 22:26:21

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી સુવર્ણ મંદિર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું અને ત્યાર બાદ લંગરમાં ભોજન કર્યું અને પછી વાસણ ધોઈને કાર સેવા પણ કરી હતી. રાહુલ ગાંધીએ માથા પર પાઘડીની જગ્યાએ બ્લૂ રંગનો પટકા પહેર્યો હતો.પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની અમૃતસરની આ યાત્રા અંગત હતી. તેમનો પંજાબમાં પાર્ટી નેતાઓને મળવાનો કે કોઈ જનસભા કરવાનો કોઈ જ કાર્યક્રમ નહોતો. રાહુલ ગાંધીના રોકાણ માટે ધર્મશાળામાં અગાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સુરક્ષાના કારણોસર તે રદ્દ કરવી પડી હતી,જે બાદ તે હોટલમાં રોકાયા હતા.


કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા સુવર્ણમંદિર


રાહુલ ગાંધી અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં હાજર રહેલા રાણા કેપી સિંહ, સાંસદ ગુરજીતસિંહ ઔજાલા, ઈન્ટક નેતા સુરિંદર શર્મા તથા અન્ય નેતાઓએ સ્વાગત કર્યું હતું સુવર્ણ મંદિરમાં પહોંચ્યા બાદ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનો અન્ય ધાર્મિક સ્થળોએ પણ માથું ટેકવવાનો કાર્યક્રમ પણ હતો. તેમની આ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થાના સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધી સુવર્ણ મંદિર માથું ટેકવવા પહોંચ્યા હતા.


રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા


પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગે પોતાના સત્તાવાર એક્સ પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીની આ યાત્રા અંગે માહિતી આપી હતી. પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરતા તેમણે લખ્યું- “રાહુલ જી અમૃતસર સાહિબ સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કરવા આવી રહ્યા છે. આ તેમની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે, ચાલો તેમની ગોપનીયતાનો આદર કરીએ. પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આ યાત્રામાં શારીરિક રીતે હાજર ન રહેવા વિનંતી છે. તમે બધા ઉત્સાહ પૂર્વક તમારૂ સમર્થનુ બતાવી શકો છો અને આગલી વખતે તેને મળી શકો છો. સતનામ શ્રી વાહેગુરુ…”



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.