Rahul Gandhiએ સંસદમાંથી આપી BJPને ચેલેન્જ? કહ્યું આ વખતે ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-01 17:21:39

સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભાના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું..... 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે... 

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશ. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.


ભાજપના હાથમાંથી ગઈ એક લોકસભા બેઠક 

રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યું છે..... લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ ક્લીન સ્વિપ નથી કરી શકી... કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પોતાની વાપસી કરતા બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી આંચકી લધી... 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 સીટ મળી હતી... પણ ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક મળ્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ બમણો થઈ ગયો છે...



કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા સમયથી સક્રિય પણ છે. છેલ્લે ટીઆરપી ગેમઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે પણ તેમણે વાત કરી હતી .. અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો... 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા... કોંગ્રેસે રાજ્યની 26માંથી 24 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા... અને બે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા... રાહુલ ગાંધીએ હવે ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાતની રાજનીતિ આવનાર સમયમાં ખુબ રસપ્રદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે