'થોડું દબાણ થતાં જ યૂ-ટર્ન લીધો....' રાહુલ ગાંધીએ રમૂજી ટુચકો સંભળાવી નીતીશ કુમાર પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-30 18:44:01

બિહારમાં રાજકીય ઘટનાક્રમથી INDIA એલાયન્સને મોટો ઝટકો લાગ્યા બાદ રાહુલ ગાંધીએ આજે પહેલી વખત નિતીશ કુમારને લઈ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નિતિશ કુમારનું નામ આપ્યા વગર જ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ થતાં જ તેમણે (નિતિશ કુમારે) યૂ-ટર્ન લીધો છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન યાત્રામાં તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ પડતા જ તેમણે પલટી ખાધી હતી. પરંતું દબાણ કેમ? અમારૂં ગઠબંધન તે મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે લોકોને અસર કરે છે. 


સામાજીક ન્યાય અમારી જવાબદારી


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે એક વાત સમજો કે નીતીશજી કેમ ફસાઈ ગયા, મેં તેમને સીધું કહ્યું હતું કે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવી પડશે. અમે આરજેડી સાથે મળીને નિતીશજીને સર્વે કરાવવા પર ભાર મુક્યો હતો. પરંતું બિજેપી ડરી ગઈ હતી. તે આ યોજનાના વિરોધમાં હતી. નીતીશજી ફસાઈ ગયા અને બિજેપીએ તેમને ભાગવા માટે બેક ડોર આપ્યો હતો. લોકોને સામાજીક ન્યાય આપવો તે અમારા ગઠબંધનની જવાબદારી છે અને તે માટે અમારે નિતિશજીની જરૂર નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે