'થોડું દબાણ થતાં જ યૂ-ટર્ન લીધો....' રાહુલ ગાંધીએ રમૂજી ટુચકો સંભળાવી નીતીશ કુમાર પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-30 18:44:01

બિહારમાં રાજકીય ઘટનાક્રમથી INDIA એલાયન્સને મોટો ઝટકો લાગ્યા બાદ રાહુલ ગાંધીએ આજે પહેલી વખત નિતીશ કુમારને લઈ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નિતિશ કુમારનું નામ આપ્યા વગર જ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ થતાં જ તેમણે (નિતિશ કુમારે) યૂ-ટર્ન લીધો છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન યાત્રામાં તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ પડતા જ તેમણે પલટી ખાધી હતી. પરંતું દબાણ કેમ? અમારૂં ગઠબંધન તે મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે લોકોને અસર કરે છે. 


સામાજીક ન્યાય અમારી જવાબદારી


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે એક વાત સમજો કે નીતીશજી કેમ ફસાઈ ગયા, મેં તેમને સીધું કહ્યું હતું કે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવી પડશે. અમે આરજેડી સાથે મળીને નિતીશજીને સર્વે કરાવવા પર ભાર મુક્યો હતો. પરંતું બિજેપી ડરી ગઈ હતી. તે આ યોજનાના વિરોધમાં હતી. નીતીશજી ફસાઈ ગયા અને બિજેપીએ તેમને ભાગવા માટે બેક ડોર આપ્યો હતો. લોકોને સામાજીક ન્યાય આપવો તે અમારા ગઠબંધનની જવાબદારી છે અને તે માટે અમારે નિતિશજીની જરૂર નથી.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.