ભારત જોડો યાત્રા દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ મૃતકોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના


  • Published By :
  • Published Date : 2022-10-31 15:51:33

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોરબી હોનારતમાં મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને લઈ ટ્વિટ કરી હતી. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે શોકાાગ્રસ્ત થયેલા પરિવાર સાથે તેમની સંવેદના છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોને પણ મદદ કરવા અપિલ કરી હતી.

Image

દાદી ઈન્દિરાને રાહુલે કર્યા યાદ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. ત્યારે હાલ આ યાત્રા તેલંગાણામાં છે.

પોતાની યાત્રા દરમિયાન અનેક કાર્યક્રમો પણ રાખે છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે સાથે દાદીને યાદ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને પણ જન્મજયંતિના દિવસે તેમને યાદ કર્યા હતા.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.