રાહુલ ગાંધીનો દાવો, ગુજરાતમાં સત્તા વિરુદ્ધ માહોલ છે, કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:59:05



ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જમીન પર નથી, માત્ર હવામાં છે, પરંતુ તેમની પાર્ટી મજબૂત છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે આ ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કેવી રીતે કરવો.


ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત, અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે


રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર લોકોને લૂંટી રહી છે અને દલિતો અને આદિવાસીઓની જમીન છીનવી રહી છે. તેમણે કહ્યું કે TRS સાથે હાથ મિલાવવાનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં ખૂબ જ અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. જમીન પર નથી. તે જાહેરાતો પાછળ પૈસા ખર્ચી રહી છે અને આવી સ્થિતિમાં તેણે હવા ઉભી કરી છે.'' તેમણે કહ્યું, 'ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. સત્તા વિરુદ્ધ માહોલ છે. કોંગ્રેસ આ ચૂંટણી જીતશે.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .