રાહુલ ગાંધીએ PM મોદીને કર્યો સવાલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:13:03

રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર 

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈ ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર પ્રહાર કરતાં ટ્વીટ કરી ને કહ્યું છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છોડવાની જગ્યાએ પોતાનું ધ્યાન બેરોજગારી સંકટ અને જરુરી વસ્તુઓના ભાવ વધારા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન પર લગાવવું જોઈએ. કેરલના હરિપાઠમાં ભારત જોડા યાત્રા દરમિયાન રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પર સુનિયોજીત રીતે અટેક કરી રહી છે. 


બેરોજગારી દિવસ 

ચુંટણી આવતા પેહલા તમામ રાજકીય પક્ષો આરોપ-પ્રત્યારોપ કરતાં જોવા મળે છે અને શનિવારે પ્રધાનમંત્રીના જન્મદિવસને કોંગ્રેસ બેરોજગારી દિવસ તરીકે બનાવે છે અને દેશમાં વિવિધ જગ્યાએ બેરોજગારી દિવસ કાર્યક્રમો પણ બનાવે છે ત્યારે રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે