બ્રેકિંગ: રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-08-18 19:40:08

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. આ જાહેરાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કરી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી 2024ની ચૂંટણી લડશે તેવી અટકળો પર અજય રાયે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડશે, જો તે વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા માંગે છે તો દરેક કાર્યકર્તા તેમની જીત સુનિશ્ચિત કરશે.  

 

સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અજય રાયે કહ્યું, "તેમને પૂછો કે શું તે તેના વચન મુજબ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ આપી શકે છે. તેણે જનતાને જવાબ આપવો જોઈએ કે તે ખાંડ ક્યાં ગઈ." ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. અમેઠી લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ એક સમયે કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પ્રભાવદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.