હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-08 15:57:21

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે રાહુલની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ત્યારે હરિયાણા ખાતે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

     


કોંગ્રેસના નિશાન અંગે કરી વાત

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અનેક વખત તેઓ આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ આવા જ રૂપમાં દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે હાથ. પાર્ટી નિશાન પર વાત કરતા તેમણે કહ્યું કે શિવજી, ગુરૂનાનક દેવજી અને ભગવાન બુદ્ધનો હાથ અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરો નહીં. અભય મુદ્રા તપસ્યાનું પ્રતિક છે. આ જ કોંગ્રેસના નિશાનનો મતલબ છે. 


આ યાત્રા હરિયાણા પહોંચી છે

રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રાને 100થી પણ વધારે દિવસો પૂર્ણ થઈ ગયા છે. ત્યારે થોડા દિવસોનો વિરામ લીધા બાદ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. આ યાત્રાને અનેક દિવસો થઈ ગયા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આજે યાત્રા કરનાલ અને કુરુક્ષેત્રમાં ચાલી રહી છે. 



દરેક રાજ્યોમાંથી યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. યાત્રાની શરૂઆતમાં મને કીધું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આ યાત્રાને સમર્થન નહીં મળે. પરંતુ દરેક રાજ્યોમાં સારૂ જનસમર્થન મળી રહ્યું છે. હરિયાણામાં પણ આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યું છે. દેશને વહેચવામાં આવી રહ્યો છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવામાં આવી રહ્યું છે. આ યાત્રાને તપસ્ચા ગણાવી.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.