હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સવાલોના ઘેરામાં આવી ગયું છે. આ મામલે હવે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ઝંપલાવ્યું છે, તેમણે સીધા જ SEBIને નિશાન બનાવીને તેના કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે.
Raghuram Rajan asks SEBI why it couldn’t catch Adani for ‘free float’ of only 2% of his shares — for trading & market manipulation?
75% held by Gautam Adani, 18% by suspicious Mauritius FIIs controlled by brother, 5% by LIC thanks to Modi
— so 2% trading https://t.co/B4KJFmHyeW
— Jawhar Sircar (@jawharsircar) March 6, 2023
સેબીએ તપાસ કેમ શરૂ ન કરી?
Raghuram Rajan asks SEBI why it couldn’t catch Adani for ‘free float’ of only 2% of his shares — for trading & market manipulation?
75% held by Gautam Adani, 18% by suspicious Mauritius FIIs controlled by brother, 5% by LIC thanks to Modi
— so 2% trading https://t.co/B4KJFmHyeW
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને માર્કેટ નિયામક સેબીને સવાલ કર્યો કે હજુ સુધી મોરેશિયસ સ્થિત અદાણીની માલિકીના શંકાસ્પદ ફર્મો અંગે કોઈ તપાસ નહીં કરવા પર સેબી સામે સવાલો ઉભા કર્યા છે. રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ 4 ફંડ અંગે કહેવામાં આવે છે કે તેમણે પોતાના ફંડની 6.9 અબજ ડોલરની લગભગ 90 ટકા રકમ અદાણી ગ્રુપના શેરોમાં જ રોકાણ કરી છે. આ મુદ્દે રાજને સવાલ કર્યો કે શું આ માટે પણ તપાસ એજન્સીઓની મદદની જરૂર છે?
આ 4 ફંડ બે વર્ષથી શંકાસ્પદ
મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપર્ચ્યનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર ફેક કંપની હોવાના આરોપ લાગ્યા બાદ છેલ્લા બે વર્ષથી શંકાના ઘેરામાં છે. હિંડનબર્ગે પણ આરોપ લગાવ્યો હતો કે આ ચાર ફંડની મદદથી ખોટી રીતે અદાણીની કંપનીઓના શેરોની કિંમત વધારામાં આવી છે.
ચાર ફંડોના માલિકો કોણ છે?
રાજને સેબીની ઝાટકણી કાઢતા કહ્યું કે મુદ્દો સરકાર અને બિઝનેશ જગત વચ્ચે ગેર-પારદર્શક સંબંધોને રોકવાનું છે, અને વાસ્તવમાં રેગ્યુલેટર્સને તેમનું કામ કરવા દેવાનો છે. સેબી હજુ સુધી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કરતા મોરેશિયસ સ્થિત તે ફંડોના માલિકો સુધી કેમ પહોંચી શકી નથી? શું તેના માટે પણ તપાસ એજન્સીઓની જરૂર પડશે?