અદાણી મુદ્દે SEBIના કામકાજ પર રઘુરામ રાજને કર્યા સવાલ, મોરેશિયસ સ્થિત શંકાસ્પદ ફર્મ સામે તપાસ કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-03-06 15:44:21

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સવાલોના ઘેરામાં આવી ગયું છે. આ મામલે હવે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ઝંપલાવ્યું છે, તેમણે સીધા જ SEBIને નિશાન બનાવીને તેના  કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. 


સેબીએ તપાસ કેમ શરૂ ન કરી?


RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને માર્કેટ નિયામક સેબીને સવાલ કર્યો કે હજુ સુધી મોરેશિયસ સ્થિત અદાણીની માલિકીના શંકાસ્પદ ફર્મો અંગે કોઈ તપાસ નહીં કરવા પર સેબી સામે સવાલો ઉભા કર્યા છે. રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ 4 ફંડ અંગે કહેવામાં આવે છે કે તેમણે પોતાના ફંડની 6.9 અબજ ડોલરની લગભગ 90 ટકા રકમ અદાણી ગ્રુપના શેરોમાં જ રોકાણ કરી છે. આ મુદ્દે રાજને સવાલ કર્યો કે શું આ માટે પણ તપાસ એજન્સીઓની મદદની જરૂર છે?


આ 4 ફંડ બે વર્ષથી શંકાસ્પદ


મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપર્ચ્યનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર ફેક કંપની હોવાના આરોપ લાગ્યા બાદ છેલ્લા બે વર્ષથી શંકાના ઘેરામાં છે. હિંડનબર્ગે પણ આરોપ લગાવ્યો હતો કે આ ચાર ફંડની મદદથી ખોટી રીતે અદાણીની કંપનીઓના શેરોની કિંમત વધારામાં આવી છે. 


ચાર ફંડોના માલિકો કોણ છે?


રાજને સેબીની ઝાટકણી કાઢતા કહ્યું કે મુદ્દો સરકાર અને બિઝનેશ જગત વચ્ચે ગેર-પારદર્શક સંબંધોને રોકવાનું છે, અને વાસ્તવમાં રેગ્યુલેટર્સને તેમનું કામ કરવા દેવાનો છે. સેબી હજુ સુધી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કરતા મોરેશિયસ સ્થિત તે ફંડોના માલિકો સુધી કેમ પહોંચી શકી નથી? શું તેના માટે પણ તપાસ એજન્સીઓની જરૂર પડશે?



કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG ને તેના IPO માટે બજાર નિયમનકાર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. ભારતીય બજારમાં લિસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે LGનો IPO દેશનો પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. આ જાહેર ઇશ્યૂ હેઠળ, પ્રમોટર કોરિયન કંપની લગભગ 10.18 કરોડ શેર વેચાણ માટે ઓફર કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસનો સીઝફાયર કરવા માટે સેહમત થયા . આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર છે . લાખો લોકોએ પોતાના સ્વજનો અને મકાનો ગુમાવી દીધા છે . હવે જોઈએ કે , ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ અટકાવવામાં કેટલા સફળ થાય છે.

IPL 2025નો આગામી 22મી માર્ચથી શરૂ થશે. BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા, તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆતમાં રંગારંગ કાર્યક્રમોમાં વિવિધ કલાકાર પરફોર્મ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બેઉ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે . જોકે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ખુબ જ વિશેષ છે. તેમણે જે પ્રયોગો કર્યા છે અને સ્પેસવોક કર્યું છે તે ખુબ જ મહત્વનું છે . સુનિતા વિલિયમ્સની આ બધી જ સિદ્ધિઓ બીજા મહિલા અવકાશયાત્રી કરતા ખુબ વિશેષ છે .