કોંગ્રેસ પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું, નવા પ્રભારી કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ


  • Published By :
  • Published Date : 2022-12-28 15:12:57

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે ખડગેએ જાહેરાત કરી છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા પ્રભારી મળશે. ખડગેએ વધુમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રભારીનું નામ જાહેર કરાશે. રઘુ શર્માએ 8 ડિસેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો કે,

Gujarat Election:हार की जिम्मेदारी कबूल करते हुए कांग्रेस प्रभारी रघु शर्मा  ने दिया इस्तीफा, मतगणना जारी - Congress State In-charge Raghu Sharma Resigns  Accepting Responsibility ...ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું લઉં છું અને ગુજરાત પ્રભારી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. વધુમાં રઘુ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, ખડગેજી આપને પ્રાર્થના છે કે ગુજરાત પ્રભારી પદેથી મારુ રાજીનામું સ્વીકારશો. 


હાલ એવા સમાચારો મળી રહ્યા છે કે નવા પ્રભારી રામ કિશન ઓઝા બની શકે છે. રામ કિશન ઓઝા હાલ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી છે. 


રઘુ શર્માના રાજીનામામાં હતું રાજકારણ?

ફરી પાછા રઘુ શર્માના રાજીનામા પર આવી જઈએ. પહેલા રઘુ શર્માના રાજીનામાનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. આ રાજીનામાને સામાન્ય ઘટના કહેવામાં આવી રહી હતી જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ રાજીનામામાં રાજકારણ છુપાયેલું છે.  રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે આ રાજીનામાના કારણે પૂર્વ કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીની મુશ્કીલો વધશે. આ એજ હરીશ ચૌધરી છે જેના કારણે રઘુ શર્માને મંત્રી પદ છોડવું પડ્યું હતું. જો રઘુ શર્મા રાજીનામુ આપે તો પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને પણ રાજીનામું આપવું પડે. કારણ કે કોંગ્રેસની પંજાબમાં કારમી હાર બાદ હરીશ ચૌધરીએ રાજીનામું નથી આપ્યું. 


કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર કરશે? 

જો કે રઘુ શર્મા અને હરીશ ચૌધરીની આંતરીક કલેહનું શું થશે તે ખબર નથી પણ ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ બચાવશે તે જોવાનું રહેશે. મલ્લિકાર્જુન ખડગેના કહ્યા મુજબ ટૂંક સમયમાં નવા પ્રભારીની જાહેરાત થઈ જવાની છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે. અને આ જ યાત્રા મારફતે હવે કોંગ્રેસ હવે ગુજરાતની જનતા સાથે સંપર્ક કરશે. કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 






પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .