ગુજરાતના ચૂંટણી પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-08 17:01:38

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપની જંગી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ઓછી સીટોથી સંતોષ માનવો પડશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેટલી પણ સીટો મેળવી નથી. 16 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. ત્યારે કોંગ્રેસની હાર બાદ કાર્યકરો નારાજ જોવા મળ્યા છે. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે નારાજ થયેલા કાર્યકરોએ કોંગ્રેસ ભવન ખાતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર થયા બાદ રઘુ શર્માએ ગુજરાતના ચૂંટણીના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. 


મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું રાજીનામું

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપે 2017 કરતા પણ આ વખતે વધારે સીટો જીતી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આમ આદમી પાર્ટીની પણ જીત અનેક બેઠકો પર થઈ છે. પરંતુ આ વખતે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે તેને લઈ કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. 182 બેઠકો પરથી કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મલી હતી. ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું ટાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા ન આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ માત્ર એક કે બે જ સભાઓ સંબોધી હતી. ત્યારે કોંગ્રેસનું આ પરિણામ જોઈએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આ બધા વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી રઘુ શર્માએ સ્વીકારી છે અને તેને પગલે ગુજરાતના પ્રભારી તરીકે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 

        



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.