રાઘવજી પટેલ એક્શનમાં, કૃષિ વિભાગની લેબોરેટરીની લીધી ઓચિંતી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-06 16:50:11

કૃષિમંત્રી રાઘવજી પટેલ કૃષિ વિભાગની કચેરીઓની સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યા છે. આજે રાઘવજી  પટેલે કૃષિ વિભાગની લેબોરેટરીની ઓચિંતી વિઝીટ કરી હતી. રાઘવજી પટેલ ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલી રાજ્યના કૃષિ વિભાગની જમીન ચકાસણી લેબોરેટરીની અચાનક મુલાકાત કરી હતી. 


શું કહ્યું રાઘવજી પટેલે


રાઘવજી પટેલએ આજે રાઘવજી પટેલે કૃષિ વિભાગની લેબોરેટરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા) ની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓની હાજરી અંગે ચકાસણી કરી હતી. તેમણે કૃષિ વિભાગના સૌ કર્મચારીઓને હજુ પણ વધુ ક્ષમતા સાથે કાર્યરત થવાની જરૂર છે તેવું કહ્યુ હતું. વધુમાં તેમને સમયબધ્ધતા, સેવાબદ્ધતા અને કૃષિ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.


રાઘવજી પટેલ સતત એક્સન મોડમાં


રાઘવજી પટેલ તેમના હસ્તકના કર્મચારીઓની હાજરી અને કાર્યપધ્ધતી સુધારવા માટે અતિ સક્રિય બન્યા છે. રાઘવજી ભાઈએ ગઈ કાલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. જેમાં  ખુદ મત્સ્ય ઉધોગ કમીશનર નિતિન સાંગવાન મંત્રીની મુલાકાત સમયે ગેરહાજર હતા. આ સાથે  હિસાબી અધિકારી એમ વિ છાયા, નાયબ નિયામક – એમ ડી થાનકી, આસીસ્ટન્ટ ડિરેક્ટર – એન એમ શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર- એમ કે ચૌધરી ગેર હાજર રહ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.