પેપર લીક મુદ્દે રાઘવ ચડ્ડાએ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:04:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોઈને કોઈ વાતને લઈ રાજ્ય સરકાર પર આપ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપ સરકાર આપના નિશાના પર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે તેને મુદ્દો બનાવી આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઘવ ચડ્ડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. 


ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો - રાઘવ ચડ્ડા

ભાજપ સરકાર પર અનેક વખત આમ આદમી દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આપ હમેશા તે મુદ્દાને લઈ ભાજપને નિશાના પર સાધતું રહે છે. પેપર લીક મુદ્દાને લઈ ગુજરાત સરકાર પર નિશાન સાધતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મતને અંધકારમાં મૂકી દો. તેમણે ઉમેર્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કાયદા બનાવામાં આવે.

  

ભાજપની ગૌરવ યાત્રા પર પણ રાઘવના પ્રહાર

પોતાનો પ્રચાર કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહી છે.              



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.