વિવાદિત ટિપ્પણઓના કારણે સંતો સામે રોષ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 19:42:03


છેલ્લા કેટલાક સમયથી સાધુઑએ આપેલ  વિવાદિત નિવેદનો ના કારણે ચર્ચામાં છે ત્યારે પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા ભગવાન વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે મામલે રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. અને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે .પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામી પોતાના કાર્યક્રમને લઈને વડોદરામાં આવી રહ્યા છે. એવામાં તેમના આગમન પહેલા જ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું અપમાન કરવા બદલ તેઓના વિરોધમાં વડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા છે. 


પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ભગવાન શિવજી માટે અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે તેમની આકરી ટીકા પણ થઇ હતી. વડોદરા ખાતે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના એરપોર્ટ રોડ ઉપર તેઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં તેઓને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બેનર સનાતન સંત સમિતિ ગુજરાતના નામે લાગ્યા છે. મસમોટા બેનરો લગાવી આ બંને સ્વામી વડોદરામાં ન પ્રવેશે તેમ દર્શાવવામાં આવ્યું છે.

 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.