રબારી, ભરવાડ, દલિતો, આદિવાસીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોને ઘર નહીં, શું આ માણસો નથી?


  • Published By :
  • Published Date : 2023-04-05 21:44:16

દેશની આઝાદીને 75 વર્ષ થયા આ સમયગાળા દરમિયાન ભારતે વિકાસની હરણફાળ ભરી છે. જો કે દેશમાં સામાજીક સુધારણા ક્ષેત્રે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આપણા દેશના લોકો ધર્મ, જાતિ, કોમ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા છે. કેટલાક સત્યો એવા છે, જે જાણે સર્વ સ્વિકૃત બની ગયા છે. જાતિવાદ આપણા સમાજમાં એટલી હદે ઘર કરી ગયો છે કે નીચલી જાતિની કોઈ વ્યક્તિને રહેવા માટે ઘર ખરીદવું હોય તો પણ નથી મળતું. જમાવટની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોની ઓફિસોમાં જઈને સ્ટીંગ ઓપરેશન કરતા આ ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે.


જમાવટે કર્યું સ્ટીગ ઓપરેશન


જમાવટના પત્રકારે બિલ્ડરોની ઓફિસોમાં જઈને ઘર ખરીદવા માટે પૂછપરછ કરી તો જાતિવાદનું નગ્ન સત્ય જાણવા મળ્યું હતું. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વિવિધ બિલ્ડર્સની ઓફિસોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં નીચલી જાતિના લોકો માટે ઘર ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે. આ બિલ્ડરો રબારી, ભરવાડ, દલિતો, ખ્રીસ્તીઓ અને મુસ્લીમોને તો ફ્લેટ વેચતા જ નથી. 


સામાજીક સમાનતાની માત્ર વાતો


નિચલી જાતિના લોકો ગમે તેટલો ઉઁચુ હોદ્દો, મોટો પગાર કે ગુણવાન હોય તેમ છતાં તેમને સારા વિસ્તાર અને લોકાલિટીમાં ફ્લેટ ખરીદવો અશક્ય છે. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સામાજીક સમાનતાની વાતો બહું ઉંચી-ઉંચી કરે છે પણ ખરેખર જ્યારે તેનું પાલન કરવાનું આવે ત્યારે તેમનું અસલ ચરિત્ર બહાર આવી જાય છે. આપણા સમાજમાં જાતિવાદનું જોર એટલું પ્રબળ છે કે કોઈ નીચલી જાતિનો માણસ બિલ્ડરોને ફ્લેટની કિંમત રોકડમાં ચૂકવે તો પણ તે ફ્લેટ ખરીદી શક્તો નથી.  દેશ અને રાજ્યમાં ઉચ્ચ વર્ણના લોકોની માનસિક્તા હજુ પણ જુનવાણી છે. આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગના આ લોકો દલિતો, રબારી, ભરવાડ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચઢાવી દેતા હોય છે



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .