રબારી, ભરવાડ, દલિતો, આદિવાસીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોને ઘર નહીં, શું આ માણસો નથી?


  • Published By :
  • Published Date : 2023-04-05 21:44:16

દેશની આઝાદીને 75 વર્ષ થયા આ સમયગાળા દરમિયાન ભારતે વિકાસની હરણફાળ ભરી છે. જો કે દેશમાં સામાજીક સુધારણા ક્ષેત્રે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આપણા દેશના લોકો ધર્મ, જાતિ, કોમ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા છે. કેટલાક સત્યો એવા છે, જે જાણે સર્વ સ્વિકૃત બની ગયા છે. જાતિવાદ આપણા સમાજમાં એટલી હદે ઘર કરી ગયો છે કે નીચલી જાતિની કોઈ વ્યક્તિને રહેવા માટે ઘર ખરીદવું હોય તો પણ નથી મળતું. જમાવટની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોની ઓફિસોમાં જઈને સ્ટીંગ ઓપરેશન કરતા આ ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે.


જમાવટે કર્યું સ્ટીગ ઓપરેશન


જમાવટના પત્રકારે બિલ્ડરોની ઓફિસોમાં જઈને ઘર ખરીદવા માટે પૂછપરછ કરી તો જાતિવાદનું નગ્ન સત્ય જાણવા મળ્યું હતું. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વિવિધ બિલ્ડર્સની ઓફિસોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં નીચલી જાતિના લોકો માટે ઘર ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે. આ બિલ્ડરો રબારી, ભરવાડ, દલિતો, ખ્રીસ્તીઓ અને મુસ્લીમોને તો ફ્લેટ વેચતા જ નથી. 


સામાજીક સમાનતાની માત્ર વાતો


નિચલી જાતિના લોકો ગમે તેટલો ઉઁચુ હોદ્દો, મોટો પગાર કે ગુણવાન હોય તેમ છતાં તેમને સારા વિસ્તાર અને લોકાલિટીમાં ફ્લેટ ખરીદવો અશક્ય છે. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સામાજીક સમાનતાની વાતો બહું ઉંચી-ઉંચી કરે છે પણ ખરેખર જ્યારે તેનું પાલન કરવાનું આવે ત્યારે તેમનું અસલ ચરિત્ર બહાર આવી જાય છે. આપણા સમાજમાં જાતિવાદનું જોર એટલું પ્રબળ છે કે કોઈ નીચલી જાતિનો માણસ બિલ્ડરોને ફ્લેટની કિંમત રોકડમાં ચૂકવે તો પણ તે ફ્લેટ ખરીદી શક્તો નથી.  દેશ અને રાજ્યમાં ઉચ્ચ વર્ણના લોકોની માનસિક્તા હજુ પણ જુનવાણી છે. આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગના આ લોકો દલિતો, રબારી, ભરવાડ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચઢાવી દેતા હોય છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.