પોતાની નીતિઓના ઉગ્ર ટીકાકારને જ નહેરૂએ બનાવ્યા દેશના પ્રથમ નાણામંત્રી, કોણ હતા શણમુખમ શેટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-01-26 16:51:55

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજુ કરશે. જો કે દેશનું સૌ પ્રથમ બજેટ રજુ કરનારા નાણામંત્રી પણ સીતારમણની જેમ તમિળ હતા. તમિલનાડુએ દેશને સૌથી વધુ નાણામંત્રીઓ આપ્યા છે. દેશનું સૌપ્રથમ બજેટ રજુ કરનારા શણમુખમ શેટ્ટી ન તો કોંગ્રેસી હતા કે નહોતા નહેરૂના પ્રસંશક, તે તો નહેરૂની સમાજવાદી નિતીઓના કટ્ટર ટીકાકાર હતા. તેમ છતાં પ્રધાનમંત્રી નહેરૂએ તેમને દેશના સૌપ્રથમ નાણા મંત્રી બનાવ્યા હતા. આવો જાણીએ દેશના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી વિશે.


કોણ હતા દેશના સૌપ્રથમ નાણામંત્રી? 


આઝાદી બાદ નહેરૂએ ગાંધીજીની સલાહ માનીને તે સમયના બિન કોંગ્રેસી નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. નહેરૂએ આરકે શણમુખમ શેટ્ટીને દેશના પ્રથમ નાણામંત્રી બનાવ્યા હતા. તેઓ બ્રિટિશ સમર્થક જસ્ટીસ પાર્ટીના સભ્ય હતા. આરકે શણમુખમ શેટ્ટી ખુબ જ અનુભવી અર્થશાસ્ત્રી અને સફળ ઉદ્યોગપતિ હતા. તેઓ તત્કાલિન કોચિન સ્ટેટના દિવાન પણ રહી ચુક્યા હતા. તે ઉપરાંત રાજાઓની પરીષદ( ચેમ્બર ઓફ પ્રિન્સેસ)ના બંધારણીય સલાહકાર પણ હતા. તેમણે 26 નવેમ્બર 1947ના દિવસે આઝાદ ભારતનું સૌપ્રથમ બજેટ રજુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે આરકે શણમુખમ શેટ્ટી આર્થિક બાબતોમાં નિષ્ણાત હોવાના કારણે જ મહાત્મા ગાંધીએ જ તેમને નાણામંત્રી બનાવવાની નહેરૂને સલાહ આપી હતી. ખ્યાતનામ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પ્રખ્યાત પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં દેશના પ્રથમ નાણામંત્રી આરકે શણમુખમ શેટ્ટીની ભારોભાર પ્રસંશા કરી છે. 


પ્રથમ બજેટ ભાષણમાં તેમણે શું કહ્યું હતું?


અંગ્રેજોની બસો વર્ષની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતને બીજો ફટકો વિભાજનનો સહન કરવો પડ્યો હતો. આ સ્થિતીમાં આરકે શણમુખમ શેટ્ટી સામે મોટો પડકાર હતો. તેમણે બજેટનું સમાપન કરતા કહ્યું કે હતું કે "આપણે હમણા જ આઝાદ થયા છીએ. જો ભારતે એશિયાના લીડર તરીકે પોતાના ભવિષ્યનો અહેસાસ કરાવવો હોય અને સ્વતંત્ર રાષ્ટ્રોની શ્રેણીમાં પોતાની જગ્યા બનાવવી હોય તો તેણે તે તમામ પ્રયાસો કરવા પડશે જે આવનારી પેઢીઓ પણ અનુસરી શકે." 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.