સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઈદના દિવસે જ પવિત્ર કુરાન સળગાવાઈ, ઈસ્લામિક દેશો થયા ધૂંઆપૂંઆ


  • Published By :
  • Published Date : 2023-06-30 16:18:31

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બકરી ઈદના તહેવારના દિવસે જ કેટલાક દેખાવકારોએ ફરીથી ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાનનું અપમાન કર્યું છે. એક વ્યક્તિએ પહેલા સેન્ટ્રલ મસ્જિદની અંદર કુરાન ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. સ્વીડિશ પોલીસ તરફથી આ પ્રદર્શનને મંજૂરી મળ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાછળથી આ વ્યક્તિ પર વંશીય અને ચોક્કસ રાષ્ટ્રીય જૂથ સામે હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


કુરાન સળગાવવાની ઘટનાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કુરાન સળગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, વીડિયોના ફૂટેજમાં એક પ્રદર્શનકારી કુરાનને ઉછાળી રહ્યો છે, તેને બાળી રહ્યો છે અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે.


ઈરાકી શરણાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો


બુધવારે, 37 એક વ્યક્તિ જેનું નામ સલવાન મોમિકા હોવાનું કહેવાય છે, તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તે સેન્ટ્રલ મસ્જિદની બહાર બે સ્વીડિશ ધ્વજ લહેરાવતા પોલીસ અધિકારીઓની પાછળ દેખાયો. તે સમયે સ્વીડનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. કાનમાં એરપોડ્સ અને મોંમાંથી સિગારેટ લટકાવીને તેણે વારંવાર કુરાન ફાડી નાખી અને પછી તેને આગ લગાડી. મોમિકા એક ઈરાકી શરણાર્થી છે અને તેનો ઈરાદો સ્વીડનમાં કુરાન પર પ્રતિબંધ લગાવવાનો છે.


મુસ્લિમ વર્લ્ડ લીગે કર્યો વિરોધ


કુરાન સળગાવી દેવાની આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે