આર્યન ખાન કેસ પર અમુક અધિકારીની ભૂમિકા પર ઉઠ્યા સવાલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:20:34

એનસીબીની સ્પેશિયલ વિજલેન્સ ટીમે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં રિપોર્ટ દિલ્લી એનસીબીને સોંપી દીધી છે. તપાસમાં જોવા મળ્યું છે કે આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે 65 જેટલા લોકોના નિવેદનનો નોંધવામાં આવ્યા. ઘણા લોકોએ પોતાના નિવેદનો 4-5 વાર બદલાવ્યા હતા


7-8 અધિકારીની તપાસ કામગીરી પર શંકા

આર્યન ખાન કેસના તપાસ દરમિયાન અમુક મામલાની તપાસમાં ખામીઓ જોવા મળી છે. તપાસમાં અમુક લોકો સિલોક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે 7-8 એનસીબી અધિકારીની ભૂમિકા પર શંકા રાખવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


શું છે સમગ્ર મામલો?

મુંબઈ ક્રુઝ કેસમાં આર્યન ખાનને એનસીબીએ ક્લિન ચીટ આપી દીધી છે. ત્યાર બાદ સરકારે તપાસમાં જોડાયેલા અધિકારીની ભૂમિકા પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને ગત વર્ષના ઓક્ટોબર માસમાં ક્રુઝ પર ઝડપવામાં આવ્યો હતો. આ ક્રુઝ પર ડ્રગ્સ લેવામાં આવી રહી હતી. આર્યન ખાનને 22 દિવસની જેલ કરવામાં આવી હતી ત્યાર બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે