ગુજરાત કોંગ્રેસનો સવાલ, ભાજપ પૂર્વમંત્રીઓના ઘર ક્યારે ખાલી કરાવશે? પૂર્ણેશ મોદી સહિત અનેક નેતાઓએ સરકારી ઘર નથી કર્યા ખાલી!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:20:12

રાહુલ ગાંધી પર ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનું સરાકરી ઘર ખાલી કરી દીધું હતું. આ વાતને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મંત્રી પદ ગયા બાદ પણ અનેક મંત્રીઓ એવા છે જેમણે સરકારી ઘર ખાલી નથી કર્યું. આ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરનાર પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે. 


રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો!   

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. કાં તો એ પોતે ચર્ચામાં હોય છે અથવા તો તેમના નામની ચર્ચા થતી હોય છે. ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. સાંસદ પદ પણ રદ્દ થયું હતું અને 19 વર્ષથી રહેતા સરકારી બંગલાને પણ ખાલી કરવો પડ્યો છે. ત્યારે થોડા દિવસોથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અનેક વર્ષોથી સાંસદ અથવા ધારાસભ્ય ન હોવા છતાંય અનેક નેતાઓ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ વાતનો મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. 


ગુજરાતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા!

રાજીવ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસ્તા મોઢે ઘર ખાલી પણ કરી દીધું હતું. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રુપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી. 


આ નેતાઓએ ઘર ખાલી કર્યા ન હતા! 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરનાર ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી પણ છે જેમણે સરકારી બંગલો ખાલી નથી કર્યો. તે ઉપરાંત પૂર્વમંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. એ પણ ઉમેર્યું કે અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથ સોલંકી,ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પેટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલા પાછા  આપ્યા ન હતા. થોડા સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રુપિયાનો ખોટો વ્યર્થ થતો અટકાવી શકાય.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!