પોલીસ ભરતી અંગે Vidhansabhaમાં પૂછાયો પ્રશ્ન, Harsh Sangviએ આપ્યો જવાબ કહ્યું ભરતી કરાશે, Yuvrajsinhએ કહ્યું જાહેરાત તો ક્યારની કરાય છે પરંતુ...!


  • Published By :
  • Published Date : 2024-02-28 13:11:03

હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલુ છે . ત્યારે સરકાર તરફથી કેટલીક મહત્વની માહિતી બહાર આપવામાં આવી રહી છે. અને જે માહિતી સામે આવી રહી છે તે એકદમ ચોંકાવનારી હોય છે, જે આંકડો સામે આવતો હોય છે તે જોઈ આંખો પહોળીની પહોળી રહી જતી હોય છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ફોર્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેની માહિતી હર્ષ સંઘવીએ આપી હતી. 

પોલીસની ઘટ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન!

રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં ઉપરાછાપરી તોડકાંડ બહાર આવી રહ્યા છે. જેમનું કામ છે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું તે જ કાયદાનો ભંગ કરતા દેખાય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસની ઘટ પણ વર્તાઈ રહી છે . ત્યારે અમદાવાદની દાણીલિમડા વિધાનસભાના કોંગ્રેસના  ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ ફોર્સની અછત વિશે પ્રશ્ન કર્યો હતો. 



11 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ!

પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ‎રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જે અંતર્ગત નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPFની પણ ભરતી કરવામાં આવશે.  ‎ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. વાત એમ છે કે 2024માં 11 હજાર જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .