પ્રથમ તબક્કામાં ઓછા મતદાન અંગે પરષોત્તમ રૂપાલાએ આપ્યું આ વિચિત્ર કારણ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:36:50

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ આ મુદ્દે તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ઓછા મતદાનના કારણો અંગે છણાવટ કરવામાં આવી રહી છે. જો કે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઓછા મતદાનને લઈ કાંઈ અલગ જ તર્ક રજૂ કર્યો છે. 


પરષોત્તમ રૂપાલાએ શું કહ્યું?


પરષોત્તમ રૂપાલાએ ભાજપના ઉમેદવાર જ્યંતી રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે મુલાકાતમાં તેમણે ઓછા મતદાન અંગે જણાવ્યું હતું કે બે કારણોથી મતદાન ઓછું થયું છે. એક તો લગ્નગાળો હોવાથી લોકો ઓછા મતદાન કરવા માટે નિકળ્યા હતા જ્યારે બીજુ કે આ વખતે એક તરફી એટલે ભાજપ તરફી વાતાવરણ હોવાના કારણે મતદાન ઓછું થયું છે. તેમણે એવો પણ તર્ક લગાવ્યો હતો કે બે ઉમેદવારો વચ્ચે ચર્ચા અને રસાકસી હોય તો વધુ મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે માત્ર ભાજપ તરફી જ માહોલ છે તેના કારણે મતદાન ઓછું થયું છે. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.