જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે નવા ડ્રેસ કોડનો થયો અમલ, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને નિકર પર પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:33:33

ઓડિસાના પુરીમાં આવેલા જગપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાંટેલી જિન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરનારા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં કરવા દેવામાં આવે. આ પહેલા પણ મંદિર વહીવટી તંત્રએ આ સંબંધમાં આદેશ આપ્યો હતો. પોલીસને પણ આ નવા ડ્રેસ કોડનો ચુસ્ત અમલ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા મંદિરમાં પાન-ગુટખા અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


શાલિન વસ્ત્રો પહેરવા પડશે 


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે શાલિન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, નિકર, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને ટ્રાન્સપરન્ટ કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ થાય તે પહેલા મંદિરમાં પ્રવેશનારા પુરૂષો ધોતીયું અને ખેસ તથા મહિલાઓ સાડી અને કમીજમાં જોવા મળી હતી. આ પહેલા પણ મંદિર પ્રશાસને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રતિબંધોનો અમલ કરવાનું કહ્યું હતું. 


નૂતન વર્ષે 3.50 લાખ શ્રધ્ધાળુંઓએ કર્યા દર્શન


નવા વર્ષના આગમનના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાત્રે બે વાગ્યાથી જ શ્રધ્ધાળુંઓનો ઘસારો શરૂ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે  જ ભગવાન જગન્નાથના દર્શન માટે અઢી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો લાંબી કતારમાં ઉભેલા  જોવા મળ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ અને 50 હજારથી પણ વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. 



ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.