જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે નવા ડ્રેસ કોડનો થયો અમલ, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને નિકર પર પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:33:33

ઓડિસાના પુરીમાં આવેલા જગપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાંટેલી જિન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરનારા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં કરવા દેવામાં આવે. આ પહેલા પણ મંદિર વહીવટી તંત્રએ આ સંબંધમાં આદેશ આપ્યો હતો. પોલીસને પણ આ નવા ડ્રેસ કોડનો ચુસ્ત અમલ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા મંદિરમાં પાન-ગુટખા અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


શાલિન વસ્ત્રો પહેરવા પડશે 


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે શાલિન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, નિકર, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને ટ્રાન્સપરન્ટ કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ થાય તે પહેલા મંદિરમાં પ્રવેશનારા પુરૂષો ધોતીયું અને ખેસ તથા મહિલાઓ સાડી અને કમીજમાં જોવા મળી હતી. આ પહેલા પણ મંદિર પ્રશાસને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રતિબંધોનો અમલ કરવાનું કહ્યું હતું. 


નૂતન વર્ષે 3.50 લાખ શ્રધ્ધાળુંઓએ કર્યા દર્શન


નવા વર્ષના આગમનના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાત્રે બે વાગ્યાથી જ શ્રધ્ધાળુંઓનો ઘસારો શરૂ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે  જ ભગવાન જગન્નાથના દર્શન માટે અઢી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો લાંબી કતારમાં ઉભેલા  જોવા મળ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ અને 50 હજારથી પણ વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.