પંજાબ પોલીસે કરી અમૃત પાલની ધરપકડ! આવતી કાલ સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-03-18 18:45:32

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલસિંહ સહીત તેના 6 સાથીઓની જલંઘરના શાહકોટ મલસિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને લઈ આવતી કાલ બપોર સુધી અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો  

અમૃતપાલ સિંહ અંગે વાત કરીએ તો અમૃતસર જિલ્લાના ખેડા ગામનો નિવાસી છે. 2022માં દુબઈથી ભારત પરત ફર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન વીરિસ પંજાબ દેના પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાની ધરપકડ વિરોધ કર્યો હતો. તેમના હુમલાના દબાણને કારણે પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

        


અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ    

પંજાબ પોલીસ અમૃતસિંહ પાલની ધરપકડ કરવાની તૈયારીઓ ઘણા સમયથી કરી રહી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર અમૃતસિંહ પાલની ધરપકડ આજે કરી લેવામાં આવી છે. જલંધરના શાહકોટ માલસિયામાંથી કરી લેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પોતે અન્ય કારમાં ફરાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને તેને ઝડપી લીધો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીને અંજામ જલંધર અને મોગા પોલીસે સાથે મળીને આપ્યો હતો. અમૃતસિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 જેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.