હવે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘમાસાણ, જાણો શું છે સમગ્ર વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-28 15:19:13

પંજાબમાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની મંજૂરી ન મળવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને સ્વીકારતા કોર્ટે સુનાવણીનો સમય પણ બપોરે 3.50 કલાકે નક્કી કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ચાલી રહેલા રાજકીય સંકટના મુદ્દાની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પણ સુનાવણી કરશે.


પંજાબમાં વિવાદ શું છે?


પંજાબ સરકારે સોમવારે એડિશનલ એડવોકેટ જનરલ શાદાન ફરાસત દ્વારા ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને પ્રથમ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ, રાજ્યપાલે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ અનુસાર વિધાનસભા બોલાવવી પડે છે.


રાજ્યપાલે બજેટ સત્રની મંજુરી ન આપી


પંજાબ સરકારે કેબિનેટનો પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલ પાસે બજેટ સત્ર 3 માર્ચે બોલાવવાની મંજુરી માગી હતી. જો કે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર  કરી દીધો હતો. તે સાથે જ એક પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીના ટ્વીટ અને નિવેદનો ખુબ જ અપમાનજનક અને ગેરબંધારણીય હતા. આ ટ્વીટ પર કાયદેસરની સલાહ લેવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરવામાં આવશે. 


CM ભગવંત માને ટ્વીટ કરતા વિવાદ વકર્યો


રાજ્યના રાજ્યપાલે પ્રિન્સિપાલોને સિંગાપોરમાં ટ્રેનિંગ માટે મોકલવા મુદ્દે પ્રિન્સિપાલોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્યપાલના વાંધાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે તે રાજ્યનો વિષય છે અને તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ પ્રત્ય  જવાબદેહ છે કેન્દ્ર સરકારના રાજ્યપાલને નહીં. આ ટ્વીટ બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.