હવે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘમાસાણ, જાણો શું છે સમગ્ર વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-28 15:19:13

પંજાબમાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની મંજૂરી ન મળવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને સ્વીકારતા કોર્ટે સુનાવણીનો સમય પણ બપોરે 3.50 કલાકે નક્કી કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ચાલી રહેલા રાજકીય સંકટના મુદ્દાની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પણ સુનાવણી કરશે.


પંજાબમાં વિવાદ શું છે?


પંજાબ સરકારે સોમવારે એડિશનલ એડવોકેટ જનરલ શાદાન ફરાસત દ્વારા ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને પ્રથમ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ, રાજ્યપાલે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ અનુસાર વિધાનસભા બોલાવવી પડે છે.


રાજ્યપાલે બજેટ સત્રની મંજુરી ન આપી


પંજાબ સરકારે કેબિનેટનો પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલ પાસે બજેટ સત્ર 3 માર્ચે બોલાવવાની મંજુરી માગી હતી. જો કે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર  કરી દીધો હતો. તે સાથે જ એક પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીના ટ્વીટ અને નિવેદનો ખુબ જ અપમાનજનક અને ગેરબંધારણીય હતા. આ ટ્વીટ પર કાયદેસરની સલાહ લેવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરવામાં આવશે. 


CM ભગવંત માને ટ્વીટ કરતા વિવાદ વકર્યો


રાજ્યના રાજ્યપાલે પ્રિન્સિપાલોને સિંગાપોરમાં ટ્રેનિંગ માટે મોકલવા મુદ્દે પ્રિન્સિપાલોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્યપાલના વાંધાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે તે રાજ્યનો વિષય છે અને તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ પ્રત્ય  જવાબદેહ છે કેન્દ્ર સરકારના રાજ્યપાલને નહીં. આ ટ્વીટ બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!