અમૃતપાલ કેસમાં પંજાબ સરકાર એક્શનમાં, 6 IPS અધિકારીઓની બદલી કરી, પોલીસની ભૂમિકા શંકાસ્પદ


  • Published By :
  • Published Date : 2023-03-29 17:17:26

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે પોલીસના પ્રયાસો હજુ ચાલુ જ છે. 11 દિવસ વીતી જવા છતાં પંજાબ પોલીસ તેને પકડી શકી નથી. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે આ મામલામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે આ કેસ સાથે સંબંધિત 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓની બદલી કરીને રાજ્ય સરકાર મોટા સંકેત આપવા માગે છે.


આ અધિકારીઓની બદલી થઈ


સરકારે જે 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા તેમાં જાલંધરના ડીસીપી વત્સલ ગુપ્તા, એસએસપી જાલંધર સ્વર્ણદીપ સિંહ, તે ઉપરાંત એસપી જાલંધર ગ્રામીણ મંજીત કૌર,એડીસીપી જાલંધર જગજીત સિંહ સરોયા, એસપી ઈન્વેસ્ટિગેશન સર્બજીત સિંહ જાલંધર  ગ્રામીણ, ડીસીપી ઈન્વેસ્ટિગેશન જસકિરનજીત સિંહ તેજાની બદલી કરવામાં આવી છે. તે સિવાય એસપી હોંશિયાર પુર મનપ્રિત સિંહ અને જોઈન્ટ એસપી લો એન્ડ ઓર્ડર લુધિયાણા રાવ ચરણ સિંહ બરાડની પણ ટ્રાન્સફર  કરવામાં આવી છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?