પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ બનશે મહારાષ્ટ્રના ગવર્નર, કોશ્યારીનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-01-27 18:20:35

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મહારાષ્ટ્રના આગામી રાજ્યપાલ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની જગ્યા લઈ શકે છે. કેપ્ટન થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલિનીકરણ પણ કરી દીધું હતું.


ભગત સિંહ કોશ્યારી આપશે રાજીનામું


આ પહેલા રાજ્યના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભગત સિંહ કોશ્યરી વર્ષ 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા. આ પદ પર તેમનો અત્યાર સુધીનો કાર્યકાળ ઘણા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. વિરોધ પક્ષોએ તેમના પર મહારાષ્ટ્રનું અપમાન કરવાનો અને ઈતિહાસને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં, કેપ્ટન અમરિંદર સિંહને તાજેતરમાં ભાજપની 83 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા હતા.



કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?