પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ બનશે મહારાષ્ટ્રના ગવર્નર, કોશ્યારીનું સ્થાન લેશે


  • Published By :
  • Published Date : 2023-01-27 18:20:35

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મહારાષ્ટ્રના આગામી રાજ્યપાલ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની જગ્યા લઈ શકે છે. કેપ્ટન થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલિનીકરણ પણ કરી દીધું હતું.


ભગત સિંહ કોશ્યારી આપશે રાજીનામું


આ પહેલા રાજ્યના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભગત સિંહ કોશ્યરી વર્ષ 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા. આ પદ પર તેમનો અત્યાર સુધીનો કાર્યકાળ ઘણા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. વિરોધ પક્ષોએ તેમના પર મહારાષ્ટ્રનું અપમાન કરવાનો અને ઈતિહાસને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં, કેપ્ટન અમરિંદર સિંહને તાજેતરમાં ભાજપની 83 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.