પંજાબ CM પર પુત્રીનો ગંભીર આરોપ 'મારા પિતા દારૂ પીને વિધાનસભામાં જાય છે, માતા સાથે કરે છે મારપીટ'


  • Published By :
  • Published Date : 2023-12-10 19:21:34

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે. તે પોતાના ત્રીજા બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સીરત કૌર તેના પિતા ભગવંત માન પર આરોપ લગાવતી જોઈ શકાય છે. સિરતે કહ્યું કે ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. વીડિયોમાં સિરતે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ માતા-પિતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે?


પિતાથી અલગ થઈ ગઈ છે 


સિરત કૌરે કહ્યું કે તેણે પોતાના પિતાના નામથી દૂરી બનાવી લીધી છે. સીરતે કહ્યું કે તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને સાઇડલાઇન કરી દિધા છે. ઉલ્લેખનિય છે કે  મુખ્યમંત્રી ભગવંત માનની બીજી પત્ની ડો.ગુરપ્રીત કૌર હાલ ગર્ભવતી છે.વિડિયો અંગે બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે જે માણસ પોતાના બાળકોની સંભાળ રાખી શકતો નથી તેમના પર રાજ્યના હિતમાં કામ કરવાનો વિશ્વાસ કરી શકાય નહીં.


SGPCએ પણ લગાવ્યો હતો ગંભીર આરોપ 


શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બૈસાખીના અવસર પર નશાની હાલતમાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. કમિટીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. એસજીપીસીના જનરલ સેક્રેટરી કરનૈલ સિંહ પંજોલીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુરુ ઘરની મુલાકાત વખતે મૂળભૂત નિયમોનું પાલન કર્યું ન હતું. તેણે ટિપ્પણી કરી કે જો માન દારૂ પીવાનું બંધ ન કરી શકે તો તેણે ગુરુના ઘરની અંદર આવવાનું ટાળવું જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.