ચંદીગઢમાં પંજાબના CM ભગવંત માનના ઘર પાસેથી મળ્યો લાઈવ બોંબ, પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-01-02 18:54:23

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચંદીગઢ સ્થિત સેક્ટર 2માં આવેલા સત્તાવાર નિવાસ્થાનની પાસેથી એક બોંબ મળી આવ્યો છે. ચંદીગઢના રાજિંદર પાર્કમાંથી આ બોંબ મળી આવતા અફરાતફરી  મચી ગઈ હતી. બોંબના સમાચાર મળતા જ ચંદીગઢ પોલીસની ટીમ, બોંબ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચંડી મંદિર સ્થિત આર્મીને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોંબને ડિફ્યુઝ કરવાની કાર્યવાહી ચાલી રહી, અને ખુબ જ ઝડપથી તેને ડિફ્યુઝ કરી લેવામાં આવશે.


ઘટના બાદ પોલીસ કાફલામાં હડકંપ


ચંદીગઢના અત્યંત સુરક્ષીત વિસ્તારમાં લાઈવ બોંબ મળી આવતા પોલીસ કાંફલામાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસેથી મળેલા બોંબને લઈ સક્રિય બની છે. પોલીસના જવાનોએ તાત્કાલિક શેલની આસપાસ રેતી ભરેલી બોરીઓ મુકી દીધી હતી. ઘટના સ્થળથી થોડા અંતરે જ મુખ્યમંત્રીનું હેલીપેડ છે. આ સ્થિતીમાં સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષામાં મામલે મોટી ગફલત માની રહી છે.


હરિયાણાના સીએમનું પણ આવાસસ્થાન


ચંદીગઢના જે વિસ્તારમાંથી બોંબ મળી આવ્યો ત્યા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પણ સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. પંજાબ અને હરિયાણાના સચિવાલય અને વિધાનસભા પણ તે જ સ્થળે આવેલા છે.


બોંબ અંગે કઈ રીતે ખબર પડી?


સોમવાર સાંજે લગભગ 4થી 4.30 વાગ્યે એક ટ્યુબવેલ સંચાલકે પંજાબના સીએમના હેલિપેડ અને નિવાસસ્થાન નજીક કેરીના બગીચામાં બોંબ જોયો હતો. બોંબને નિષ્ક્રિય કરવાનું કામ તાત્કાલિક ભારતીય સેનાની પશ્ચિમ કમાનને સોંપાવામાં આવ્યું છે. જો કે ઘટના વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના નિવાસસ્થાને હાજર નહોંતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.