નેપાળમાં ગમખ્વાર અકસ્માત, બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 8 લોકોના મોત, 19થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-23 16:53:06

નેપાળમાં એક પેસેન્જર બસ માર્ગ પર દોડતા-દોડતા અચાનક જ  ત્રિશુલી નદીમાં ખાબકી હતી. તેના કારણે તમામ લોકો ફસાઈ ગયા હતા, અનેક યાત્રિકોમ તો બસની બારી તોડીને છત પર ચઢી ગયા હતા. આ દરમિયાન આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જો કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ 8 લોકોના મોત થઈ ચુક્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેપાળની રાજધાની કાઠમંડૂથી પોખરા જઈ રહેલી પેસેન્જર બસ બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લાના ચાલીસે વિસ્તારમાં અનિયંત્રિત થઈને ત્રિશૂલ નદીમાં ખાબકતા હાહાકાર મચી ગયો હતો.


19થી વધુ લોકો ઘાયલ થયા


નેપાળના બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગ પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. 



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?