PSI RR। ઉમેદવારો હજુ પણ દ્વિધામાં કે પરીક્ષા ક્યારે આવશે! ગાંધીનગર રોકાય કે ઘરે જાય? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-03-08 09:28:24

થોડા સમય પહેલા વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવશે. ત્યારે ગઈકાલે પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. આગામી સમયમાં પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતી થવાની છે. 12 હજાર જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર આવનાર સમયમાં 597 PSIની પોસ્ટ માટે ભરતી  કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત કરી છે.

ભરતીના નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર!

ના માત્ર કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરીક્ષાની પદ્ધતિમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા એલઆરડીની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ મોટા પ્રમાણમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. પહેલા પોલીસમાં ભરતી કરવા ઈચ્છુક ઉમેદવારોના વજન પર પણ ધ્યાન આપવામાં આવતું પરંતુ હવે આ નિયમને રદ્દ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. 

યુવરાજસિંહે આ જાહેરાતને લઈ આપી પ્રતિક્રિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ઘણી લાંબી પ્રતિક્ષા બાદ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી છે. આરઆર જાહેર કરવામાં આવ્યા છે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો માનતા હતા કે ફિઝિકલ ગ્રાઉન્ડ આ શિયાળામાં લેવાઈ જશે. પરંતુ શિયાળાના અંત સુધીમાં તો માત્ર આરઆર બહાર પાડવામાં આવ્યા છે. આખી પ્રક્રિયાને પૂર્ણ થતા વાર લાગશે અને ફરી એક વખત ઉમેદવારોએ પ્રતીક્ષા કરવી પડશે. તારીખોને લઈ ઉમેદવારોને દ્વિધા છે. હજી તો આરઆર આવ્યા છે ઈઆર નથી આવ્યા. એક્ઝામિનેશન રૂલ્સ બહાર નથી પાડવામાં આવ્યા. 


ચૂંટણી પહેલા કરવામાં આવી ભરતીની જાહેરાત!

મહત્વનું છે કે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ફરી એક વખત ચૂંટણી પહેલા યુવાનોને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ ચૂંટણી પહેલા આંદોલન ના છેડે અને પરિસ્થિતિ વણસી ના જાય તે માટે યુવાનોને વ્યસ્ત રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે ચૂંટણી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષાબળોની મદદ લેતા હોઈએ છીએ. ગુજરાતમાં ઈલેક્શન પૂર્ણ નથી થતું ત્યાં સુધી આની સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે ક્યારે ભરતી કરવામાં આવે છે?   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.