Gujaratiઓ માટે ગૌરવના સમાચાર, સ્વચ્છતા સર્વેક્ષણમાં Suratએ મેળવ્યો પ્રથમ ક્રમાંક


  • Published By :
  • Published Date : 2024-01-11 13:09:00

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અનેક લોકો જોડાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ બને તો દેશ સ્વચ્છ બને તે આપણે જાણીએ છીએ, અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. સ્વચ્છતામાં ગુજરાતના સુરતે એક મુકામ હાંસલ કર્યો છે. સુરતે સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છે. પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો. 


ઈન્દોર ઉપરાંત સુરતને પણ સ્વચ્છતામાં મળ્યું પ્રથમ સ્થાન

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. સ્વચ્છતા જળવાય માટે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી. સ્વચ્છતાને લઈ લોકો જાગૃત થાય તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે સ્વચ્છતાના ક્રમમાં ઈન્દોરની સાથે સાથે સુરતે પણ સ્થાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરો એટલે કે ઈન્દોર તેમજ સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢને સ્થાન મળ્યું છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.