દિલ્હી ખાતે ગુજરાતની આશાવર્કરોનો વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:17:41

છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા હતા. રાજ્યનો દરેક વર્ગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસ કર્મી, એસ.ટી વિભાગના કર્મચારીઓ હોય, શિક્ષક હોય કે નિવૃત્ત આર્મી મેન હોય બધા જ સરકાર વિરૂદ્ધ પોતાની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આ વખતે આશાવર્કરો પોતાની માગ સાથે દિલ્હી પહોંચી છે. ગુજરાત સરકારે તેમની માગ નહીં સ્વીકારી, જેને લઈ તેઓ દિલ્હી ખાતે આંદોલન કરી ગુજરાત સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આંદોલનનો લાભ અનેક પાર્ટીઓએ લીધો હતો ત્યારે દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોના આંદોલનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે. આશાવર્કર બહેનોનો અવાજ સાંભળવા કોંગ્રેસે સરકારને અપીલ કરી છે. 


કોંગ્રેસે ભાજપ પર કર્યો પ્રહાર

દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું છે કે સાહેબ આશાવર્કર બહેનો પત્ર લખી લખીને થાકી ગઈ, એટલે તો આશાવર્કર બહેનો દિલ્હી પહોંચી હવે તો સાહેબ આ બહેનોની વેદના સમજો.  

   



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.