દિલ્હી ખાતે ગુજરાતની આશાવર્કરોનો વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:17:41

છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા હતા. રાજ્યનો દરેક વર્ગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસ કર્મી, એસ.ટી વિભાગના કર્મચારીઓ હોય, શિક્ષક હોય કે નિવૃત્ત આર્મી મેન હોય બધા જ સરકાર વિરૂદ્ધ પોતાની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આ વખતે આશાવર્કરો પોતાની માગ સાથે દિલ્હી પહોંચી છે. ગુજરાત સરકારે તેમની માગ નહીં સ્વીકારી, જેને લઈ તેઓ દિલ્હી ખાતે આંદોલન કરી ગુજરાત સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આંદોલનનો લાભ અનેક પાર્ટીઓએ લીધો હતો ત્યારે દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોના આંદોલનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે. આશાવર્કર બહેનોનો અવાજ સાંભળવા કોંગ્રેસે સરકારને અપીલ કરી છે. 


કોંગ્રેસે ભાજપ પર કર્યો પ્રહાર

દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું છે કે સાહેબ આશાવર્કર બહેનો પત્ર લખી લખીને થાકી ગઈ, એટલે તો આશાવર્કર બહેનો દિલ્હી પહોંચી હવે તો સાહેબ આ બહેનોની વેદના સમજો.  

   



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.