Gujaratના ભાવિ શિક્ષકોએ જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની લીધી પ્રતિજ્ઞા, સાંભળો આંદોલન વિશે શું કહ્યું Devanshi Joshiએ?


  • Published By :
  • Published Date : 2023-08-28 11:42:34

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક હોવાને કારણે એક જ શિક્ષકના શીરે જવાબદારી આવી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવા ગાંધીનગર પહોંચતા ઉમેદવારોને અટકાવી લેવામાં આવતા હતા. કરાર આધારિત ભરતીને બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.

જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા

ગુજરાતના શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે તેવી વાતો અનેક વખત ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમનું ભવિષ્ય શું તેવા પ્રશ્નો અનેક વખત તેમણે પૂછ્યા છે ત્યારે જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા ઉમેદવારો લઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 

પરિસ્થિતિને બદલવાની જગ્યાએ આપણે પરિસ્થિતિ અનુરૂપ બદલાઈ જઈએ છીએ!

મહત્વનું છે કે ટેટ-ટાટ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં તેઓ સફળ થશે કે નહીં? કારણ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના બે-પાંચ ટકા લોકો જ કરતા હોય છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણને ટ્રેનિંગ એવી રીતે આપવામાં આવી છે કે આપણી સામે જે આવે તે પરિસ્થિતિને આપણી રીતે અનુરૂપ કરવાને બદલે, આપણે પરિસ્થિતિના અનુરૂપ થઈ જતા હોઈએ છીએ. પરિસ્થિતિ આગળ ઝઝુમવાને બદલે આપણે પરિસ્થિતિ અનુસાર બદલાઈ જઈએ છીએ. ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલનનું શું પરિણામ આવે છે તે તો સમય બતાવશે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!