EDની ચાર્જશીટમાં Priyanka Gandhiનું નામ, આ મોટા જમીન કૌભાંડમાં નામ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:53:13

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી શકે છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમનું નામ એક આરોપી સાથે સંબંધિત જમીનના સોદાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.

ચાર્જશીટમાં પહેલી વખત પ્રિયંકા ગાંધીના નામનો કરાયો ઉલ્લેખ  

સમગ્ર મામલાની વાત કરીએ તો 22 નવેમ્બરે EDએ હથિયારોના વેપારી અને લંડનમાં રહેતા સંજય ભંડારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સંજય ભંડારી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નજીકના હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સી 2018થી વાડ્રા અને ભંડારી વચ્ચેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે. ઇડીએ આ જણાવ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી હતી.

priyanka gandhi robert vadra

તપાસ એજન્સીના ડરથી ભંડારી ભાગી ગયો હતો વિદેશ 

EDનું કહેવું છે કે વાડ્રા અને સંજય ભંડારી વચ્ચે સારા સંબંધો છે. બંન્ને જણા એક સમાન બિઝનેસ કરે છે. આ એક મોટો કેસ છે, જે સંજય ભંડારી સાથે જોડાયેલો છે. ભંડારી વિરૂદ્ધ અનેક તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેને કારણે તે વિદેશ ભાગી ગયા. મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.